-
-: લ ઘુ ભા ગ વ ત :-
અ ર્પ ણ :-
-:રાગીની પરીખ:-
હી રા બા :- આ જવાબદારી મારે નિભાવવાની છે . ડાબી બાજુ એ
મંજુલા છે – જે પરણીને
પહેલે દિવસે આ ઘરમાં
આવી - અને જમણી
બાજુ એ હિરાબા છે
જેમણે અંતિમ શ્વાસ આ ઘરમાં લીધો.-
એક પરગજુ , કાર્યદક્ષ ,વ્યવહારદક્ષ અને
સહનશીલ મહિલા :જેમણે પોતાના
ભત્રીજાઓને પોતાની યુવાન વયે પુત્ર
સમાન ગણીંને ઉછેર્યા- પણ જ્યારે પોતાના સંતાનોને ઉછેરવાનો
વારો આવ્યો ત્યારે વ્રુધ્ધત્વ
ડોકિયા કરતુ હતુ -
તેવે સમયે વહુ
ઘરમાં આવી - ત્યારે ચાર
સંતાનો નાની વયનાં 1 -4-
7-અને 10 વર્ષના ચાર
સંતાનો—મનના એક ખુણે ડર હતો -છોકરો
વહુ જુદા ઘેર
જશે તો હુ
એકલી કેવીરીતે આ બોજ
ઉપાડીશ ? પણ
એવુ કશુ ના
બન્યુ – વહુ સાથે જ રહી --મારા પિયેરમાં મારે કોઇ
ભાઇ બેન નથી -
જ્યા સુધી આ મોટા નહી
થઇ જાય ત્યા
સુધી અમે તમારી સાથેજ છિયે – અને મારા લગ્ન
પછી 20 વર્ષ સુધી
અમે “ તેમની સાથે “ જ રહ્યાં
- ચારે ઠરી ઠામ
થયાં – નોકરી ધંધે વળગ્યા - ચારેય ના
લગ્ન પણ થયી ગયા -
નવી વહુઓ નવા ઘરમાં
ગયી - તે
પછી અમે ઘર
છોડ્યુ –બસ એ છોડ્યુ
તે છોડ્યુ – આ 20
વર્ષમાં શુ શુ
બન્યુ તે લાંબી વિગતે નથી ઉતરતી –
ના જાણ્યુ જાનકીનાથે સવારે
શુ થવાનુ છે - તે પછીનો
દશક સારો ગણવો કે
નરસો- સમજ ના પડી
અમે અમારા ઘેર -
બીજા બન્ને પુત્રો તેમના
સંસારમાં - તેમના ઘરમાં
ખુશ હતા – બન્ને પુત્રીઓ
પણ સાસરે ઠરીઠામ હતી -
અમારે પણ ચાર
સંતાનો હ્તા –અમારુ પહેલુ સંતાન – અને સૌથી
નાની નણંદ વચ્ચે માત્ર 3 જ વર્ષનો
ગાળો હતો - પણ નીતા મારી પહેલી પુત્રી અમારી
સાથે રહી નહોતી – તેની પુરી જવાબદારી મારા માતા પિતાએ
ઉપાડી હતી - એક
હીરાબા જ સમજતાં હતાં કે આ શુ
ચાલે છે - પણ
તેમની ધૈર્ય અને
સહનશીલતાએ ગાડુ ગબડે
જતુ હતુ - સ્થળસંકોચને
કારણે લાબી વિગતો આપવી
શક્ય નથી - પણ એક
કમનસીબ પળે મારા સૌભાગ્ય
ઉપર સંકટ આવ્યુ – અને
જે હીરાબાની સાથે મે
20 વર્ષ ગાળ્યા
તેમનેજ આ સંકટ પોતાના
માથે લીધુ અને મારી
યુવાનીના 20 વર્ષના
બદલામાં મને બીજા
20 વર્ષ ઉપરનૂ
સૌભાગ્ય પ્રદાન કર્યુ અને
પોતાનુ જીવન તેમના પુત્રને આપીને તેમણે વિદાય લીધી. આજનુ
મારૂ સૌભાગ્યતે હીરાબાની
દેન છે – તેમણે બદલો ચુકવી
દીધો.
પણ પછી
જે બનતુ ગયુ -
કલ્પનાતીત બનતુ ગયુ -
શુ લખુ
?કેવીરીતે લખુ ? મનમાં ભંડારાયેલ તેમના ચારનો
આક્રોશ વિદ્રોહ સ્વરુપે દેખાવા
લાગેલો – હીરાબાએ તે જોયો પણ
હતો - પણ લાચાર હતા
- ઉમર – વૃધ્ધત્વ –પરાવલંબી
મહિલા કરી પણ
શુ શકે ? માત્ર પરાકાષ્ઠાનો
જ એક પ્રસંગ
બસ છે -અમારા
ગભરાટનો પાર નહોતો - યુ.એન. મહેતામાં દાખલ
કરવાની સુચના હતી - આ
હોસ્પિટલ માટે અમારા બન્ને
મોટા પુત્રો સમાન દિયેરોની
પાસે લાંબી વગ , વશીલો અને સગવડ
પણ હતી
- પણ આ સમયે કોઇ
સાથે ના રહ્યુ –કોઇ
આવ્યુ જ નહી - “ અન્ય
કામમાં વ્યસ્ત છે
“ , “
પુર્વનિર્ધારીત કાર્યક્રમમાં વ્યસ્ત છે , “ “અમોને
ખબર જ આપી નથી “ , અરે
તેથી પણ વિશેષ
“ આ તો ઢૉંગ
છે “ અરે તેથી
પણ એક ડગ આગળ
આ સમયે જ ઘરની
માલીકીના પ્રશ્ન ઉઠાવાયો અમોને
દુણવામાં કોઇએ કોઇ કસર
છોડી નહી - અને કિસ્મત
તો જુવો ?મારો ખુદનો પુત્ર : અમારાથી
વિમુખ : વિમુખ તો
વિમુખ પણ તેના બે
“ મોટા ભાઇઓ “ની છાવણીમાં બેસી ગયો -
અને તેણે દરેકંને તક
આપી - જો તમારો
જ પુત્ર તમારી
સાથે નથી તો
બીજાની પાસે શુ આશા
રાખો ? અરે –
જેમણે તેને “ એક નંબરનો
જુઠ્ઠો “ “ અને “ ડ્રાયવર “ ની કક્ષામા મુકીને અપમાનીત કરેલો :
આજે તે તેમના
માં-ફાટ વખાણ કરતા થાકતો નથી
અને સોસિયલ મીડીયામા પણ તેમના
માંફાટ ગુણગાન ગાય છે
-- ચાલો - સારુ
છે - કોઇ સરાહનીય કાર્ય
કરે તો તેની
પ્રસંશા કરવી જ જોઇયે – પણ વિપરીત
પાસુ પણ જુવો જે
માબાપે તેને આ કક્ષાએ પહોચાડ્યો –
પોતે જાહેર વાહનોમાં ફરીને
પણ પુત્રને ગાડી
આપી , લાડી
આપી , વાડી અને
વજેફો આપ્યા માન -
મોભો -પ્રતિષ્ઠા અને
પ્રસીધ્ધી પણ આપ્યા-, : તે જ માબાપને જાહેરમાં
અને સોસિયલ મીડીયામા પણ
બેફામ ગાળો આપવી -
અપમાનિત કરવા અને ચિતરવા –અને
તેના આ કાર્યમાં તેને સાથ
સહકાર પણ મળે -
શુ સમજવુ ? અતૃપ્તિ ? અસંતોષ ? લોભ- લાલસા? યોગાનુયોગ ? ઋણાનુબંધ ? કર્મફળ ? કે
પછી કોઇનો અભિશાપ ? તર્ક વિહિન કલ્પનાઓ છે .
સૌના કાર્યોની યથોચિત નોધ
લેવાય :
હુ તો માત્ર
એટલી જ દરખાસ્ત સાદર કરુ છુ :
આ પુસ્તક – લઘુ-ગ્રંથ
- હીરાબાને અર્પણ
થાય
સ્વવિવેક પુસ્તક
પ્રસ્તુતકર્તાનો છે.
રાગીની પરીખ :
મંજુલા :
વિ
ધિ વ ત
- અ ર્પ
ણ વિ ધિ :
1
હીરાબેન રમણલાલ પરીખ માતા
2
રમણલાલ બાલકૃષ્ણદાસ પરીખ પિતા
3
રાતીલાલ મોહનલાલ શાહ
સસરા
4
સવિતગૌરી રતીલાલ શાહ સાસુ
દરેકના ફોટા સાથે
-:મં ગ લા ચ ર ણ : -
નમામિ હ્રદયે શેષે
, લીલાક્ષીરાબ્ધિશાયિનમ
લક્ષ્મીસહસ્ત્ર્લીલાભિ: , સેવ્યમાનમ કલાનિધિમ
ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા
ષડ્ભિર્વિરાજતે યોસૌ , પંચધા હ્રદયે મમ
પ્રભુર્નંદકુમારો મે ,સ્વામીની વૃષભાનુજા
કૃતાર્થોહમ
, કૃતાર્થોહમ
,કૃતાર્થોહમ ન સંશય
તસ્ય
સેવાં પ્રકુર્વીત યાવત જીવં સ્વધર્મત:
ન ફલાર્થ ન ભોગાર્થ
,ન પ્રતિષ્ઠા
ન પ્રસિધયે
શુધ્ધભાવ: પ્રભો
સ્થાપ્યો , ન ચાતુર્યમ
પ્રયોજકમ
અંતર્યામિ સમસ્તાનાં
, ભાવં જાનાતિ માનસમ




No comments:
Post a Comment