Saturday, 21 July 2018

Laghu bhagavat 18 - Naradaji




Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) 

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:- 

                                   -:   ના  ર  દ  જી  - 3: -
                                                  18
                હે  મહર્ષિ ,  હજુ  મારુ મન  ધરાતુ નથી.  મારા  અને  આપના  મનમાં  પણ  આપણી   પ્રજા પ્રત્યે પ્રેમ  છે -  આઅણે તેમનુ  કલ્યાણ જ  ઇચ્છિયે  છિય્ર  - તેમનુ  ભલુ  થાય  -તેમનુ  શ્રેય  શામાં   છે  તે  માટે  જ  વિચારીયે    છિયે અને  તેથી હજુ  મને  વિચાર  આવે   છે  કે  હુ હજુ  પણ  આપને કેટલાક  સુચન  કરુ.  દ્વાપર  પુર્ણતાને  આરે  છે – આપ  દિર્ઘદ્રષ્ટા  છો  -આપને  ખ્યાલ   છે જ કે  કલીએ  પગપેસારો    કરી  દીધો  છે  અને  ધીમે  ધીમે તેનો પ્રભાવ વધતો  જાય   છે. આપણે  જે    જોયુ  ,  જાણ્યુ , અનુભવ્યુ , જે  અનુહુતી   આપણાને થયી,તેના  ઉપરથી  તારતમ્ય કાઢીને આપણે   આપણુ કામ  કરવાનુ  છે.
       આપણીપાસે   વિતી  ગયેલા   ત્રણેય યુગ  : સત યુગ  ,ત્રેતા  યુગ  અને  દ્વાપરયુગની   તમામ   માહિતી છે આપણે   આર્ષ દ્રષ્ટા અને   દિર્ઘ દ્રષ્ટા પણ  છિયે  :આપણે  તે  પણ   જાણિયે   છિયે  કે  કલિયુગમાં   શુ બની  શકે ‌ - તેનો પ્રભાવ કેવો હશે   - તેનાથી કેવીરીતે રીતે બચી શકાય :  બચવા ઉપાયો-સાવચેતીના ઉપાયો  વિ  આપ   જણાવો.
         આપણે જાણીયે  જ છિયે કે  કલીના   લક્ષણો  કયા  છે. : કલીનુ નિવાસ સ્થાન ક્યાં  છે  - કલીના   મિત્રો કોણ  છે  - કલીના દુશ્મનો કોણ   છે  -કલીને  કોની  સાથે સારો  મેળ  છે   તો કલીને કોની  સાથે  ઉભા  રહ્યે  પણ   બનતુ નથી, કલીયુગમાં  વર્ણાશ્રમ જળવાશે  જ  નહી.  આયુગમા  બ્રાહ્મણ પોતાનો  ધર્મ : વિદ્યા   આપવી અને  વિદ્યા  લેવી  તે  ભુલી જવાનો  છે  : કલીયુગમા  તો  વિદ્યા એક   વ્યવસાય બની   જશે  અને  આ   વ્યવસાય ઉપર  કબજો  બ્રાહ્મણોનો નહી   પણ ધનવાનો અને  રાજનિતિજ્ઞોનો  રહેશે, વૈશ્ય પોતાનો  વાણિજ્ય અને  વ્યવસાયના  ધર્મ ની   સાથે પોતાનો પ્રભાવ  વધારવા  માટે   રાજનિતીમા પ્રવેશશે  અને  ત્યા   જયીને તે તમામ નિતી મર્યાદા   ભુલી  જશે  -તેનો  લોભ  તેને  એક  વેપારીને બદલે  એક   શોષણખોર  - અરે  એમ  કહીયે કે   આદમખોર માનવી  બનાવી  દેશે – ક્ષત્રિય પોતાનો  ધર્મ પ્રજાનુ   રક્ષણ કરવાનુ છે  તે   ભુલીને પોતે જ અન્ય લાભદાયી વ્યવસાયમા ભળી    જશે - લલીયુગનો  લાભદાયી  વ્યવસાય  એટલે  રાજકારણ –આ   યુગમા   સૌથી વધારે  લાભ   શુદ્ર  પામશે. તેઓ   જોશે  કે   મારા અગાઉના ત્રણેય વર્ગો એમનુ સ્થાન ગુમાવી  રહ્યા  છે  એટલે તે  દરેક ક્ષેત્રમા  પ્રવેશશે  : જો  બ્રાહ્મણો  જ ક્રિયા કર્મ ભુલી જતા હોય  તો પછી  ક્રિયાકર્મનો અર્થ જ  નહી  રહે  - તે  માત્ર  દેખાવ અને   દંભ  પુરતા  જ રહેશે અને  તે પણ  ગમે   તે  વ્યક્તિ કરાવી શકશે. આ યુગમા  ધર્મ , સત્ય , દયા, દાન  ,પુણ્ય , સત્કાર્ય , લુપ્ત થયી   જશે . ચારે બાજુ કુડ ,  કપટ  , કાવત્રા ,અનિતી,હિસાચાર , લોભ ,લાલચ, ઇર્ષા  , અદેખાઇ , પગ  ખેચવાની  વ્રુત્તિ જોર  પકડતી  જશે.મહિલાઓ  સ્વેચ્છાકારી હશે  ,અગાઉના યુગોના કોઇ   મહિલા  ધર્મ આ યુગ  નહી  પાળે. આ યુગ   ક્લેષ , કંકાસ , કકળાટ, અવિસ્વાસ પરસ્પર  ડર   અને ભય નુ  વાતાવરણ  સર્જતા  બનાવોનુ મુળ હશે. કળિયુગના   સંભવિત  લક્ષણો મે આપને  જણાવ્યા – આપે   તેનાથી  બચવાનો  ઉપાય સુચવવાનો  છે. અગાઉના  યુગોમા  યજ્ઞ  અને તપનુ મહત્વ અતુ  - આ યુગમા  યજ્ઞ  અને  તપ  તો  ભુલાઇ જ જવાનાછે.  માણસ  પાસે   આયુષ્ય  પણ  ટુકુ હશે   અને  દરેક કાર્ય કરવા  માટે સમય  પણ  ઓછો  અશે .આ ટુકા સમયમા તે   તમામ અવરોધોન સામનોકરી શકે   તેવી રીત  તેને આપવાની  છે.  મારી નજરે  એક  અને  માત્ર એક   જ  રીત   ચે   અને  તે   ભક્તિ – અગાઉના   યુગમા   બ્નક્તિ માટે તપ   અને  યજ્ઞજરૂરી હતા   પણ આ યુગમા   ગ્તો માત્ર નામ  સ્મરણ જ પુરતુ  છે  -જે   આપ  આપના અગાઉના  ગ્રંથમાં      સુકવી  ચુક્યા છો
યજ્ઞાનાં  ,જપયજ્ઞોસ્મિ    ---
આ  યુગમા   તમામ   યજ્ઞોમા   જપયજ્ઞને  સૌથી મહાન  અણવામા  આવશે -   સ્થિર અને  એક ચિત્તે ભગવાનનુધ્યાન ધરવુ ,  તેમને યાદ  કરવા તે જ   શ્રેષ્ઠ ભક્તિ ગણાશે. હુ   આશા  રાખુ  છુ કે  આપનો  વિષાદ હવે  દુર  થયો  હશે અને   આપ  આપના  નવા  આર્ય માટે  સજ્જ  થયી  ગયા  હશો .ભગવાન  વિષુએ જણાવેલ  છે   કે  જ્યા  જ્યા   ભાગવતનુ  સ્મરણ  , કથા    વાચન ,થતુ   હશે   ત્યા તા  હુ  સદૈવ   હાજર   રહીશ.
ન  કાષ્ઠે વિદ્યતે દેવ ,ન  પાષાણં ન મ્રુણ્મયં
યત્ર  વિદ્યતે સ્મરણં,તત્ર  તત્ર તિષ્ઠામ્યહમ
 હુ  મારી મર્યાદા  જાણુ    છુ   :હુ  ફરી  શકુ   છુ – પ્રચાર  કાર્ય પણ  કરી  શકુ  છુ  -પણ  ગ્રંથ   રચના  એ મારુ  કામ  નથી  - ગણેશજી  લેખન કાર્યમાં આપને સહાયભુત   થયા   છે  અને  થશે  જ થશે  -અને  શુકજી આપના પુત્ર   પહેલાં  શ્રોતા  બનીને અને પછી  વક્તા બનીને  આપની અધુરી  ઇચ્છા  પરીપુર્ણ કરશે  - પણ   આપ  જે  કાર્ય કરવાના   છો  - આપ  જે અણમોલ ભેટ  આપવાના છો તે   તો જન્મ જન્માંતર  સુધી એક  અણમોલ ખજાના  તરીકે  પ્રજા પાસે રહેવાની છે. હુ  આશા  રાખુ છુ  કે  આપના  હાથે  એક અણમોલ  ગ્રંથની  રચના થાય
   હવે   આપ  આપનુ  કાર્ય   શરુ  કરો
પા  પા  જી

ક્રમશ :
4 Attachments
 
 

No comments:

Post a Comment

Enews And Updates