-
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,940829460
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,940829460
: -:અતિમ ચરણ:-
Part one
સામાન્ય રીતે અતિમ અધ્યાય ઉપસહાર સ્વરુપ સમગ્ર રજુઆતનુ તારતમ્ય દર્શાવે છે. સામાન્યરીતે આ અધ્યાય એ ઋણ સ્વીકાર અને આભાર દર્શન પણ કરાવે છે. મને સમજ નથી પડતી કે કોના કોના ઋણ સ્વીકારુ ? જાણે કે એમ લાગે છે કે ઋણના બોજા નીચે દટાયેલ છુ. નામ જોગ ઋણ સ્વીકાર કદાચ ખુબ મુશ્કેલ છે પણ એક ઋણનો તો સ્વીકાર કરવો જ પડે : માત્રુઋણ : માતાનુ ઋણ ચુકવવુ એ સહેલી વાત નથી : અશક્ય છે એમ કહુ તો પણ ખોટુ નથી : જન્મ દાતાનુ ઋણ ફેડી શકાય જ નહી પણ મારો કીસ્સો તો એક અતિ વિશેષ કીસ્સો છે : મારી માતાએ તો મારો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો :હુ કેટલો કમનસીબ કે જેણે મારા માટે પોતાનુ સર્વસ્વ આપી દીધુ તેને હુ કશુ પણ આપી શક્યો નહી : અને તેથી વિપરીત : જેને માટે મે સર્વસ્વ આપી દીધુ તેણે મારુ જ સર્વસ્વ પડાવી અને મને રઝળતો કરવાના કારનામા કર્યા : વિધિની વક્રતા નહી તો બીજુ શુ ?
આજે એકવાર ફરી એ ચિતાર આખ સમક્ષ આવે છે - 5 મી સપ્ટેમ્બર 1996 - વહેલી સવારના 5- 6 ના અરસામા જોરદાર આવેલો હાર્ટ એટેક -બપોરના લગભગ આશરે 3 નો સુમાર : અને હ્ર્દય દશ બાર સેકંડ માટે બધ પડી ગયુ - તબીબો એકબાજુ ધમપછાડા કર્રતા હતા - બહાર કુટુબીજનો વ્યગ્ર હતા – પણ ઘેર મારી માતા યમુનાજીને પ્રાર્થના કરતી હતી - “ હે મા , મારો જીવ લો પણ મારા પુત્રને બચાવો “ યમુનામહારાણી માતાએ જાણે કે પોકાર સાભળ્યો - સુચન કર્યુ -15 દિવસમા યમરાજાનેવૈકલ્પીક વ્યવસ્થા કરી આપો : અને મારી માતાએ જ વિકલ્પ પુરો પાડ્યો – 19 મી તારીખે મને હોસ્પિટલમાથી રજા આપી - એક દિવસ બાકી હતો 15 દિવસની અવધિનો – રાત્રીની શરુઆત થયી - યમરાજાના દુતો આવીને ઘરના દરવાજાના ટોડલે તૈયાર બેઠા હતા - અમારો “શિકાર ? “ અને હીરાબાએ પોતાની જાતને સમર્પિત કરી દીધી - કોઇને સ્વપ્ને પણ ખ્યાલ આવ્યો નહી કે હીરાબા ગયા - ઘડીઓ તો ગુણવંતની ગણાતી હતી -હીરાબાના અવસાનના સમાચાર જેને પણ પહોચ્યા તે આશ્ચર્ય ચકિત બની ગયા - જાય એવો તો ગુણવંત હતો - પણ હીરાબાએ કરેલા સોદાની કોને ખબર હતી ? યમુના મહારાણી માતાએ પોતાની વગ વાપરીને પોતાના ભાઇ પાસે જાણે આ સોદો મંજુર કરાવ્યો –હુ તો ઉઘતો જ રહી ગયો - અતિમ દર્શન પણ ના પામી શક્યો મારી માતાના –આખ ખુલી ત્યારે મારી માતા નહોતી – આખમા આસુ લાવવાના નહોતા - અને આજ કાલ કરતા આજે 20 -20 વર્ષ નીકળી ગયા –આવા ગમ્ભીર હાર્ટ એટેક પછી કોઇ મેજર સર્જરી વગર 20 વર્ષ નુ જીવતદાન - એ એક અલભ્ય સીધ્ધી છે જે મને મળી -પણ એ 20 વર્ષમા મે શુ શુ જોયુ –લાબુ તો વેતરવુ નથી - એક ઉદાહરણ જ આપુ - ભરત રાજાએ એક હરણના બચ્ચ્યા માટેની આસક્તિ : આખરે શુ પામ્યા ? હરણ બાળ તરીકે કોણ આવ્યુ ? અતિ કરુણ ઇતિહાસ છે – હુ વર્ણવી નહી શકુ - કદાચ તટસ્થ પણ ના રહી શકુ -માટે વિગતે વિષ્લેષણ ટાળુ છુ - પણ મારી માતાનુ ઋણ હુ ફેડી શક્યો નથી અને હવે ફેડી શકુ તેમ પણ નથી . હુ આજે હયાત છુ તેનો યશ પણ કોઇ બીજાના ફાળે ગયો - ઝુટવાઇ ગયો -હુ દેખતો રહી ગયો - રોતો રહ્યો – માર ખાતો રહ્યો – ભલે :
સર્વે જના: સુખીનો ભવંતુ ........
5 મી સપ્ટેમ્બર -1996 – તે દિવસે મ્રુત્યુએ મને ઘેરી લીધો હતો -તેનો ડર મને નહોતો - મને તો ખબર જ નહોતી – પણ ડર કદાચ અન્યને હતો - આજે તેનાથી વિપરીત છે – આજે મારા મ્રુત્યુનો ડર અન્ય કોઇને નથી - અરે કોઇક તો = કેટલાક તો એવા છે જે રાહ જોઇ રહ્યા છે - જેમા “ બ્રુટસ “ નો પણ સમાવેશ થાય - ઓહ , બ્રુટસ યુ ટુ ? આ કડવુ સત્ય હુ કોને કહુ ? મ્રુત્યુ નો ડર તો મને પણ આજે લાગે – પણ મ્રુત્યુ અનિવાર્ય છે - તેથી મ્રુત્યુ નો ડર તો વિસારે પાડી શકુ પણ મ્રુત્યુ પહેલાની વેદનાનો ડર અતિ ભયકર છે - આ ઉમર - જ્યારે તમે ચારે બાજુથી એકલતા અનુભવો – આગળ પાછળ , આજુ બાજુ - તમામ દિશાઓમા માત્ર અને માત્ર તમાશા જોનારા હોય - મ્રુત્યુ પહેલાની વેદનામા ભોગે જોગે - અપાહિજતા – આવી જાય ,હેમરેજ , સ્ટ્રોક , પેરાલીસીસ ,કોમા અને આવી ગભીર બિમારી આવી પડે તો શુ થાય - આ ડર સૌથી મોટો ડર છે - “ પોસ્ટ ડીસીસ ઇફેક્ટ “ મને ખ્યાલ આવે છે - જે માત્ર લાચાર બનીને સહેવાની - લોકો તમાસો બનાવીને દેખે અને તમે લાચારીથી સહન કરો - કોઇ વળી દયા ખાય તો કોઇ સહાનુભુતી દર્શાવે –ભલભલા મહાનુભાવોની આ હાલત છે – જેમકે જ્યોર્જ ફરનાંડીઝ ,બાજપાઇ , જશવંત સિંઘ, અને આવા તો કોણ જાણે કેટલા હશે. કેટલાક દર્દ એવા છે કે જે જોવાય નહી , સહેવાય પણ નહી , જેનો કોઇ ઉપચાર પણ ના હોય ,દર્દી માત્ર રિબાય રિબાય અને રીબાય જ - પળે પળે મોતને ઝંખે ,અને મોત ના આવે - દર્દી, સગા, વહાલા સૌ એમ ઇચ્છે કે બિચારો જીવ છુટે તો સારુ - પણ છુટકારો કેવી રીતે પ્રાપ્ત કરવો? - એક ઇલાજ ડોક્ટર પાસે છે - જો તે ઇચ્છે તો “ મર્સી ડેથ “ આપી શકે છે પણ ત્યા વ્યવસાયની આચાર સહિતા આડે આવે છે - ડોક્ટરની ફરજ છેલ્લા શ્વાસ સુધી દર્દીને બચાવવાની છે – કોઇપણ ભોગે - તે “ મર્સી ડેથ “ નો પગલુ ના લયી શકે - કાનુન પણ મર્સી ડેથને માન્યતા આપતો નથી –કોઇનુ જીવન લેવાનો કોઇને અધીકાર નથી - અધીકારની આ કલમ તેની આલોચના કેવીરીતે કરવી ? કાયદો ક્કાયદાની રીતે સાચો છે - પણ બીજી બાજુ દર્દીના અસહ્ય દર્દનુ શુ ? દર્દીના દર્દની પીડા, દર્દીને જ દીષે ખરી ....
અન્ય તે કેવીરીતે સમજી શકે ? છતાય વગદાર તબીબો ,ન્યાયાધીશો , રાજકારણીઓ આ મુદ્દા પર વિચાર કરી શકે - “ ઈચ્છા - મ્રુત્યુ “ કે “ મર્સીડેથ “ અંગે વિચારણા કરવી જોઇએ - “ આત્મ-હત્યા “ ની સરખામણીમા તેની મુલવણી કરાય તો પણ ઘણુ છે . આત્મહત્યા એ અસહ્ય માનસીક વેદના છે અને અસહ્ય શારીરીક વેદનાના ઉપચાર , ઇલાજ કે વિકલ્પ તરીકે “મર્સીડેથ “ કે “ ઇચ્છા -મ્રુત્યુ “ સ્વીકારી શકાય ? મોટે ભાગે તો જવાબ “ ના “ મા જ આવે - આલોચના કરવી મારા માટે પણ મુશ્કેલ છે . કુશળ તબીબો , ન્યાયાધીશો ,રાજકારણીઓ , સમાજશાસ્ત્રીઓ , મનોવૈજ્ઞાનીકો , વિવેચકો - વિ.વિ,.અવશ્ય વિચાર કરે -છેલ્લા ચરણનો આ ભાગ છે કાનુન પણ જો મ્રુત્યુ દંડની સજા માટે લાબી ચોડી વિચારણાઓ અને આલોચનાઓ કરતો હોય તો ઇચ્છા મ્રુત્યુ અને મર્સીડેથ માટે કેમ વિચારણા ના થાય ?
પણ આવા સમયમા પણ તબીબી વિજ્ઞાન અને તજજ્ઞતાને નજરમા રાખીને પણ સ્વસ્થ રીતે સલાહ સુચન ભાગ્યેજ કોઇ તબીબ આપી શકે - એક બાજુ તબીબી વિજ્ઞાન છે તો બીજી બાજુ એક માનસીકતા છે - આધ્યાત્મીકતા છે , કર્મના ફળનો હીસાબ છે , જે નજરમા રાખીને ડૉ. રાજેશ શાહ - એમ.એસ. એલ.જી. હોસ્પિટાલ : જે સુચન કરેલ છે તે સરાહનીય છે – એક સર્જન ઓપરેશનની સામે પણ નૈસર્ગોપચાર પર પણ ભર્રોસો રાખે , દર્દીના દર્દની પીડા સમજે અને દર્દીને હીમ્મત આપે - શાત્વન આપે - તે નાની સુની વાત નથી –પ્રોસ્ટેટ , ગોલ બ્લેડર સ્ટોન , બાય પાસ વિ.વિ. જેવા એક એક થી ચડીયાતા મેજર અને ગમ્ભીર કહી શકાય તેવા ઓપરેશન ની સામે દર્દીને શાતા આપવી તે સહેલી વાત નથી - તે તબીબી શાસ્ત્રને વફાદારી પણ દાખવે અને સમજ અને શાતા આપે - અમુક ઉમરે ઓપરેશન સલાહભર્યુ પગલુ નથી -અનિવાર્યતા તો કોણ નક્કી કરે ? પણ તેમ છતા પણ ડો. રાજેશભાઇએ જે તટસ્થતા જાળવીને સુચનો કર્યા તે પણ સરાહનીય છે - છેલ્લા લગભગ 20 વર્ષથી 5-9-96 થી – જ્યારે દિપક બુઝાઇ પણ ત્યા જ ગયો હતો અને પુનર્પ્રકાશીત પણ ત્યાથી જ થયો હતો - હુ તેમની હોસ્પીટલ નો દર્દી છુ - ડો. જયેશ પરીખ નિવ્રુત્ત થયા ત્યા સુધી મારા માર્ગદર્શક હતા - આજે પણ એટલા જ માર્ગદર્શક છે - ડો. મુકુલ શાહ પણ તેમના એક અગત મિત્ર તરીકે મારા પણ માર્ગદર્શક અને પ્રોત્સાહિક પરીબળ તરીકે છે , હાલના ડો. બિંદ્રાબેન , વિશાલ ભાઇ , વિ.વિ. બુઝાતા દિપકને ઇધણ આપતા રહે છે - ડો. વિનય ભારતી જેવાએ મારી આખોને પુનર્જીવીત કરી તો ડો. ગૌરી મદને વૈકલ્પીક દાતની વ્યવસ્થા આપી - આયુર્વેદના ડો. હેમાગિનીએ પણ રસાયણ જેવા દ્રવ્યો આપીને ઇધણ પુરુ પાડ્યુ છે -નામી અનામી અનેક કક્ષાએથી સલાહ સુચનો , આશ્વાસનો - હુકમો પણ મળ્યા છે - આ સૌનો હુ આભારી છુ આ ઉપરાત માનસીક રીતે પણ સાથ આપનાર મારા કોલેજ સમયના એક મિત્ર – હોસ્ટેલના પડોસી સાથીદાર -જીતુભાઇ –ડો. મુકુલભાઇના મોટાભાઇ –આશરે 50-55 વર્ષ બાદ મળ્યા- એક સમયે ખુબ આત્મીયતા દાખવી - એટલી હદે કે તે અમેરીકા જતા હતા ત્યારે તેમનુ લેપ્ટોપ જે મારા માટે એક રમકડુ હતુ - પણ મને શિખવા આપીને ગયા –આ 6-8 માસ મારી “ શૈક્ષણીક કારકીર્દી “ જેના પ્રણેતા જીતુભાઇ અને મારા શિક્ષકો તરીકે શકરી , બકુડી ,શકરો ,કારો , ભોળો ભીમ ,ચકુડો , અરે સૌથી નાના ટીચર અવલ , રોનક ,હાર્દીક , પિંટૂ પણ મને ટપારતા રહેતા કે દોરવણી પણ આપતા રહેતા - મારો પાયો તેમણે ઘડ્યો – પ્રોત્સાહન આપનાર જીતુભાઇ –આ સૌનો આભાર માનવો જ રહ્યો -આ પૈકી કેટલાક વિમુખ પણ થયી ગયા - પણ તેમનો ઉપકાર મારા માટે વિમુખ નથી થયો - તે સૌ ગુરુ દક્ષીણા પ્રાપ્ત કરવાની યોગ્યતામા તો આવે જ –શુ ગુરુ દક્ષીણા આપુ ? એકલવ્યએ અંગુઠો આપેલો - હુ શુ આપુ - મે શુ આપ્યુ ? કમસે કમ છેલ્લા ચરણમા તેમને સન્માનનીય સ્થાન તો આપુ જ છુ – ભલે નાના છે પણ શિક્ષકો છે - ગુરુ છે -
Jitubhai is elder brother of Dr. Mukul Shah is enough elder to me also - deserves all respects -believe it -
ગુણાનિ સર્વત્ર પુજ્યતે , ન ચ વયમ ન ચ લિંગમ
શકરી હોય કે શકરો , અવલ હોય કે રોનક - “ શિક્ષા “ પ્રદાન કરેલ સૌનો આભારી છુ.
75 વર્ષનુ સરવૈયુ આમ ઝડપથી તો પુરુ થાય નહી - અનેક ખાટા મીઠા પ્રસંગો , બનાવો , નજર સમક્ષ આવે - કોને કેવુ મહત્વ આપવુ તે પ્રશ્ન છે - મુશ્કેલ પણ છે , કોઇને અન્યાય ના કરી બેસાય તેનો પણ ડર છે - કેટલીક વ્યક્તિઓ એવી છે જ કે જેમણે પોતાને ખુબ અન્યાય થયો છે તેવી માન્યતામા અમારો છેલ્લો અધ્યાય ક્લુષીત પણ કરી દીધો છે - હોઇ શકે - જો બહુમતી તેમની સાથે હોય , બહુમતીનો તેમને ટેકો હોય - તે સાચા હોય - તો - તેની જવાબદારી મારી જ આવે અને તેનો દંડ મારા ભાગે આવે - અનાસક્તિ સાથે તે સ્વીકારવો જ જોઇયે – સ્વીકારુ છુ અને અંતિમ પળે પણ સ્વીકારીશ - સાર્વજનીક આલોચનામા કૌટુમ્બિક આલોચના ભેગી કરવી નથી - એવુ બની શકે કે દરેકને ખુશ રાખવાના પ્રયાસમા કોઇને પણ ખુશ ના રાખી શકાયા હોય - તમારા પ્રયાસની કમી , પ્રદાનમા કોઇ અભાવ , કે પછી ઇચ્છુકનો અસંતોષ -- તિવ્ર માત્રાનો અસંતોષ - અને માટે જ આ આલોચના નાથાય તે યોગ્ય છે - જીતુભાઇએ આપેલુ લેપ ટોપ અને તે પછી ધિમંતકુમારે આપેલ લેપ ટોપ ની સરખામણીમા આ નવુ લિધેલુ લેપ ટોપ પુરો સાથ સહકાર નથી આપતુ - આમેય આ અતિ વિકસિત વિદ્યા - ટેકનોલોજી –માટે મારી કક્ષા તો “ ઢ” બરાબર આવે - તેમા સાધનનો અસહકાર - શુ થાય - વારે વારે હેક થયી જાય છે - બંધ પડી જાય છે - પેલા બાળ કલાકારો - શિક્ષકો જેવા વ્યવસાઇક મદદગારો ઉપયોગી નથી થતા -
બીજો ભાગ બાકી :-
ગુણવંત પરીખ
Click here to Reply, Reply to all or F
|
No comments:
Post a Comment