From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609
- ;આચાર - સંહીતા :- 45
----
- :
અનામતનો આચકો :-
4 ----- આંદોલન
2.
વ્યક્તિ સ્વાતંત્ર્ય , વાણી સ્વાતંત્ર્ય
અને અભિ-વ્યક્તિનુ સ્વાતંત્ર્ય – આ ત્રણેય બંધારણની
લાડકી દીકરીઓ છે-
આ દિકરીઓને બંધારણે
ખુબ ખુબ – ખોબલે ખોબલે અધીકારો
આપ્યા છે -
ત્રણેય દીકરિઓ વચ્ચે નો સંપ અને
એકજુટતા પણ ગજબની
છે - વ્યક્તિ
કહે હુ અધુરી જો
વાણી મારી સાથે
ના હોય અને
બન્ને ભેગી મળે
એટલે કહે અમે બન્ને પણ
અધુરા જો અભિવ્યક્તિ
અમોને ના મળે -
અને આ ત્રીપુટીએ
જે બાળકોને જન્મ
આપીને ઉછેર્યા - મોટા કર્યા , પાળ્યા,
પોષ્યા અને પંપાળ્યા
; આજે
તે બાળકો : તેમના
નામે :જે રીતે
ચરી ખાય છે તેને
રોકનાર ટોકનાર કોઇ
નથી : સૌ તેમની સામે લાચાર અને
બેબસ કેમ બની
ગયા છે ? ઓળખી લિધા આ લાડકવાયા
બાળકોને ? તેઓ છે
: હડતાલ : બંધ
:, આદોલન : ,રેલી :ઉપવાસ : જુના જમાનાનો સત્યાગ્રહ : માથે
ચઢી વાગેલા આ
બાળકો સામે દાદાજીઓ
, પાપાજીઓ, અને નાનાજીઓ
: સૌની બોલતી
બંધ થયી ગયિ
છે -: કેમ ? એવુ નથી લાગતુ
કે આ “નબીરા”ઓ ને માથે
ચઢાવનાર પણ તેમના
જ વાલી વારસો
છે ? બંધારનની લાડકી દીકરીઓના
આ બાળકોએ જે
આતંક મચવ્યો છે , જે નુકશાન
કરેલ છે ,જે હાહાકાર
અને ઉત્પાત મચાવ્યા
છે - તેની સામે
તો કુરુક્ષેત્રના કે કલીંગના યુધ્ધની
ખુવારી વિસાતમા નથી .
હવે સમય આવી
ગયો છે કે આ
બાળનકોને કાબુમા લેવા
માટે તેમના જન્મદાતાઓએ
જ આગળ આવવુ
પડે.:
બંધારણની સૌ પ્રથમ
ત્રણ લાડકી દીકરીઓ
એટલે : ધારાગ્રુહ
; કારોબારી
અને ન્યાયતંત્ર : ત્રણેયને
એકરાગ અને સમંન્વયતાથી
રહેવા અને કામ કરવા
આદેશ હતો : કોઇ
એ કોઇના કામમા દખલ
કરવી નહીં :
છતા સઊ સ્વાયાત્ત
હતા – પરંતુ સ્વાયત્તતાએ
સ્વતંત્રતા બની ગયી
- અને કદાચ સ્વતંત્રતા
સ્વચ્છંદતા ક્યારે બની
ગયી તેનો કોઇને
ખ્યાલ જ આવ્યો
નહીં અને તેનુ પરીણામ
આજે
દેખાઇ રહ્યુ છે
લોકશાહીની સૌથી મોટી
દીકરી : ધારાગ્રુહ : કામગરી
દીકરી કારોબારી અને
સૌથી સમજદાર દીકરી ન્યાયતંત્ર
: :
સાચુ વિષ્લેષણ કરવા
બેસીયે તો મહાભારતના અનેક
: ગ્રંથો પણ
નાના પડે - એ
શક્ય નથી - એ ભલે ન્યાયતંત્રની લાયબ્રેરીમા બંધ
રહે - પણ
જાણવાજોગ - નજરે ચઢેલ
- નરી આખે
દેખાતા ઉદાહરણ જ
જોઇયે : બંધારણીય
વારસાગત વહેચણી મુજબ
ધારાગ્રુહ કાયદા ઘડે :
તે માટે નિયમો
પણ ઘડાયેલા છે જ
છતા - અહો
આશ્ચર્યમ : ધારાગ્રુહોને
ચાલવા જ દેવાતા
નથી : વ્યક્તિ
સ્વાતંત્ર્ય ,
વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના
સ્વાતંત્ર્ય ના નામે જે
ઉહાપોહ કરવામા આવી
રહ્યો છે : કોઇને
ખ્ગબર જ નથી
પડતી કે કોણ કોને
છવરે છે ? નિયમ મુજબ ગ્રુહના
અધ્યક્ષ એટલે આ
શાળાના આચાર્ય તેમની
પાસે એ સત્તા છે જ કે વર્ગને
કોઇ પણ રીતે કાબુમા
રાખે : તે કેમ એ સત્તાનો
ઉપયોગ કરતા નથી અને કહી
દે છે કે
“ આજે રજા
“ : તેમનીફરજ
છે કે તે જો વર્ગમાઅ એક જ
વિદ્યાર્થી પણ બેઠો
હોય તો તે તે એક
વિદ્યાર્થીને પાઠ આપિ શકે છે
- એક આખો પક્સ
ગ્રુહમા હોય - જે
કામ માટે રાજીહોય તો
કામ કેમ બણ્ધ રાખે છે ? તોફાનીઓ તોફાન
કરતાહોય તો તેમને
રોકવાની ,ટોકવાની ,
સમજાવવાની , સજા કરવાની અરે
વર્ગની બહાર કાઢી
મુકવાની પણ સત્તા
આચાર્યને છે જ
- અને તે
જ સત્તા ગ્રુહના
અધ્યક્ષને પણ છે જ
- શા માટે અધ્યક્ષ
મહોદયશ્રી આ સત્તાનો ઉપયોગ
નથી કરતા ? કોઇ રાજ
કારણ નડે છે ? ગ્રુહના અધ્યક્ષ પક્ષાપક્ષીથી પર
છે - ભલે
તે શાસક પક્ષના સભ્ય
છે –પણ અધ્યક્ષ બન્યા પછી તે
બિનવિવાદાસ્પદ વ્યક્તિ બની
જાય છે અને
જો બિનવિવાદાસ્પદ વ્યક્તિ
બની રહેવુ હોય
તો તેમને ગ્રુહનુ
કામકાજ તો રોકવુ
ના જ જોઇયે-
તોફાની તત્વૂને તે
બહાર કાઢી શકે
છે અને ગ્રુહ
ચાલુરાખી શકે છે - એક વાર
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે વિરોધપક્ષના
લગભગ તમામ સભ્યોને સસ્પેંડ કરેલા
અને ગ્રુહ ચાલુ
રાખેલ - આવી
જ કાર્યવાહી લોકસભા
કે રાજ્યસભામા પણ
કેમ ના થયી
શકે ? કાયદો અને
વ્યવસ્થા જાળવવા માટેનુતંત્ર
ઉપયોગમા લયીને તોફાની તત્વોને જેર
કરીને ગ્રુહનીબહાર કાઢી
મુકવાની સત્તા અધ્યક્ષને
છે જ – તો આ સત્તાનો ઉપયોગ કરીને
તેમને બહાર કાઢી મુકવાને બદલે અધ્યક્ષ પોત્વ જકેમ “ વર્ગ “ બંધ કરીને
નીકળી જાય છે તે
સમજાતુ નથી –તેની પાછળ શુ કારણ છે ? હુ તો
માનુ છુ કે
શાસકપક્ષ એકલો જ ગ્રુહમા હોય તો
ઝડપથી કાર્યવાહી ચાલિ
પન શકે -શા
માટે આમ નથી થતુ
? “ લોકશાહી “નો ખોટો આડમ્બર
રાખવાની જરુર નથી -
ગ્રુહમા જે સભ્યો
છે તે લોકશાહી
મુજબ જ ચુટાયેલ
સભ્યો જ છે
અને જે નથી તે
તેમના કારનામાને લીધે
હાજર નથી -અન્ય
કોઇ જવાબદાર નથી .-
પછી શા માટે
સમગ્ર ગ્રુહ બંધ
રહે ? સહેજ વિચારો:
કેટલાક તોફાની માણસોનુ ટોળુ આવે -શાળાના વિદ્યાર્થીઓને દબડાવે- શાળા છોડીને
ઘેર જતા રહેવા
દબાણ કરે - આચાર્યશ્રી
દેખતા રહે -
ગભરાઇ જાય –અને વિદ્યાર્થિઓને છોડી
મુકે છે -
શાળા બંધ - કારણ
આચાર્ય પાસે બીજો
કોઇ આરો નથી - સલામતીની
બીજી વ્યવસ્થા નથી -વિદ્યાર્થીઓની સલામતીનો
પ્રશ્ન છે -
જ્યારે અહિયા -ગ્રુહમા
તો સલામતીની જડબેસલાક વ્યવસ્થા
છે – પોલિસ છે
- સારજ્ન્ટ છે - -સુરક્ષા
દળના જવાનો છે
- અને આઉપરાત
અધ્યક્ષશ્રી પાસે અપાર
સત્તા છે -સાધન
સામગ્રી છે - શા
માટે ગ્રુહ મુલત્વી
રાખવુ પડે ? એવી તે
કૈ લાચારી છે
અધ્યક્ષશ્રીની કે તે પગલા નથી લયે
શકતા ?
ગુજરાત
વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપત
વસાવાએ હિમ્મતથી અને
કાયદાની મર્યાદામા રહીને
લગભગ તમામ તોફાની
તત્વોંને -સભ્યોને ગ્રુહની
બહાર કાઢ્યા –સસ્પેંડ કર્યા -
કાબિલે દાદ વ્યવસ્થા
કરી -ગ્રુહ -ગ્રુહ્ચાલુ
જ રાખ્યુ -
જો વસાવા આ કરી
શકે તો બીજા અધ્યક્ષશ્રીઓ
કેમ ના કરી
શકે ?
વિચારણા
માગી લે તેવો પ્રશ્ન
નથી આ ?
ક્રમશઃ
ગુણવંત
પરીખ
5-9-15
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609
No comments:
Post a Comment