Saturday, 14 January 2012

પ્રિય  મનીષ ભાઈ  ધર્મેન્દ્ર ભાઈ 

     આપણી કુશળતા  ઈચ્છું છું  આ સાથે  ભાગ વત  કથા ના  પ્ર્નાહુતી  સમારોહ  ની  પ્રેસ નોટ  સાદર કરું છું જે સ્વીકારી ઉપકૃત કરશો જી 

        સદા  સેવ્યા / સર્વ   સેવ્યા  શ્રુતે   સેવ્યા 

   સેવ્યે   શ્રેય  શ્રી મદ  ભાગવત  કથા 
                    ગુણવંતભાઈ પરીખ દ્વારા  સમાપન અહેવાલ 
      
           શ્રી ભાગવત ની કથા  માટે કહેવાય છે કે કથા સદા સર્વદા  દરેકે સંભાળવી જોઈએ  જેના શ્રવણ  માત્ર્ત થી  શ્રેય થાય તેવી આ કથા નું શ્રવણ  દરેકને માટે શ્રેયસ્કર છે. તા. ૭  થી  ૧૩ મી  આ કથા નું સેવન  હજારો ભાવિક ભક્ત જનો શ્રેષ્ટિ  અને ખાસ કરીને  પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વૈષ્ણવો એ  દુર દુર થી  આવીને કાળ કડતી ઠંડીમાં પણ  સ્વધાય પરિવાર ની  નિષ્ટ થી  કથ્ય માં ઉપસ્થિત રહીને કથાનું શ્રવણ કરેલું છે.

         આ પ્રસંગે કથાના મુખ્ય યજમાન ભરતભાઈ પટેલે સૌનો હાર્દિક આભાર માન્યો હતો. શ્રીમતી મનીષાબેન  તેમજ વૈશાલીબેને પણ તમામ જ્ઞાત  અજ્ઞાત  મહેમાનોનું સમોચિત સ્વાગત  સન્માન અને આદર સાથે કર્યું હતું.ચી.મિતેશ અને  યશે  પણ દરેકની યથા યોગ્ય સરભરા કરી હતી.આ પ્રસંગે  હમલોગ માં  પ્રસારિત  ભાગ વત કનિકા ના  પુસ્તક સ્વરૂપ  આસ્થા  પુસ્તિકાનું  વિતરણ પણ રાગીનીબેને કર્યું હતું .દરેક આમંત્રિત મહેમાન શ્રોતા ગણ  અને હાજર એવા તમામ આબાલ વૃદ્ધ  જનોએ કથા માણી હતી. પ્રસાદ વિતરણ ની વ્યસ્થા પણ અભૂત પૂર્વ શિસ્ત પૂર્વક ગોઠવાયી હતી  જેનું શ્રેય મિતેશ અને તેના મિત્રો લયી શકે છે.

      આ પ્રસંગે જાણીતા પીઢ ભાગ્ત્વાત કથાકાર  પ.પુ. ભાઈશ્રી  રમેશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા  અને પુર્ણાહુતી સમારંભને તેમની અમૃત વાણી નો લાભ આપ્યો હતો . આ ઉપરાંત પ્રસોન્ગોપાત  પધારેલ તેમજ હાજર હહેલ ધર્માચાર્યો એ  પણ  દરેકને આશીર્વાદ આપ્યા હતા.કથા પૂર્ણ કરતા  રાષ્ટ્રીય સંત શ્રી ચીન્મયાનાન્દજી એ પણ  દરેકને આશીર્વાદ આપ્યા હતા . આપ્રસંગને  દિપાવવા માટે ગુરુ વર્યશ્રી  સાતે સાત દિવસ  હાજર રહ્યા હતા અને  દરેકને  પ્રોત્સાહિત કરતા રહ્યા હતા . દરેક વડીલ  સંત અને પ્રભુ કૃપાથી  કથા  રંગે ચંગે સંપન્ન  થયી  હતી.

No comments:

Post a Comment

Enews And Updates